Skip to content
Search

Latest Stories

કેન્ટુકીના હોટેલિયર ચક્રવાતના આંતકવાળી રાત નહીં ભૂલે

આહોઆના સભ્યો અસરગ્રસત વિસ્તારોમાં મદદ મોકલવાની તૈયારીમાં લાગ્યા

કેન્ટુકીના હોટેલિયર ચક્રવાતના આંતકવાળી રાત નહીં ભૂલે

રાત્રે 1 વાગ્યાના સમય હતો અને પરેશ દેસાઈ તથા તેમનો પરિવાર તે સમયે કેન્ટુકીના મેફિલ્ડમાં આવેલી તેમની મોટેલ કાર્ડિનલમાં આવેલા તેમના એપાર્ટમેન્ટમાં પથારીમાં ઘસઘસાટ ઉંઘી રહ્યા હતા. તેઓ છેલ્લાં 22 વર્ષથી અહીં રહે છે. એક કલાક બાદ એકાએક તેમના જીવનમાં ઘમાસણ મચે છે અને અત્યાર સુધીનું સૌથી તોફાની ચક્રવાત તેમની સમગ્ર ઇમારતને હચમચાવી નાખે છે.

આ તોફાન, કે જેના કારણે પાંચ રાજ્યોમાં 88થી વધુ લોકોએ પોતાનો જીવ ગૂમાવ્યો હોવાનું સ્થાનિક મીડિયા રિપોર્ટમાં જણાવાયું છે. આ ચક્રવાત-તોફાન કોઇપણ પૂર્વ ચેતવણી વગર ત્રાટક્યું હતું તેમ દેસાઈ કહે છે. તેઓ તે સમયે સાત મહિનાનો ગર્ભ ધરાવતી તેમની પત્ની મિતાલી સાથે હતા. તે સમયે તેમની 16 વર્ષની દીકરી અને તેમના માતા-પિતા (ઉંમર અંદાજે 70 વર્ષ) પણ સાથે હતા.


 એકાએક અંધકારમાંથી તે ત્રાટક્યો

1.30 કલાકે, દેસાઈને ગંભીર હવામાન અંગે સાવચેત રહેવાનો સંદેશો મળ્યો, તેઓ એકદમથી જાગી ગયા અને તેમણે જોયું કે તોફાન વધ્યું છે. તેમણે તરત જ પરિવારના અન્ય સભ્યોને જગાડ્યા. સૌથી પહેલા તેમણે પત્નીને જગાડી હતી.

તેમણે કહ્યું કે મારી પત્ની પથારીમાંથી ઉભી થઇને નીચે ઉતરે ત્યાં સુધી તો મેં મારી દીકરીઓને તેમના રૂમમાંથી બહાર કાઢી લીધી કારણ કે છત ઉડી ગઇ હતી.

હોટેલની બારીઓ ખુલી ગઇ હતી અને તેમાંથી વરસાદની ઝાપટો અંદર આવી રહી હતી.  દેસાઈના માતાપિતા પણ અન્ય રૂમમાં હતા અને તેની છતને પણ અસર પહોંચી હતી.

દેસાઈ કહે છે કે મારા ભાગની આખી છત ઉડી ગઇ હતી, અમે આખા ભિંજાઈ ગયા હતા. એક તો ભારે વરસાદ અને તેમાં પણ જોરદાર ફૂંકાતો ઠંડો પવન. મેં 911 પર ફોન કરવાનો પ્રયાસ કર્યો પરંતુ વીજ પુરવઠો પણ ખોરવાઈ ગયો હતો. અમે ખરેખર ખૂબ ગભરાઈ ગયા હતા અને તે સમયે અમને કાઈ સમજાતું નહોતું કે શું કરવું અને શું ના કરવું.

દેસાઈએ આખરે મોબાઇલ ફોનની ફ્લેશલાઇટ ચાલુ કરી અને તેમણે પત્ની અને દીકરીઓને સલામત રીતે બાથરૂમ સુધી પહોંચાડી જેથી તેમને કોઇ નુકસાન ના પહોંચે. તેમણે ત્યાંથી પસાર થઇ રહેલા એક પોલીસ ઓફિસરને રોક્યા અને જણાવ્યું હતું કે તેઓ મોટેલમાં રોકાયેલા તેમના આઠ ગેસ્ટને પણ મદદ કરે.

પછી તેમણે સાત માઇલ દૂર રહેનાર પોતાની બહેનને ફોન કર્યો કારણ તે તોફાન વધી રહ્યું હતું.

મારી ભત્રીજી અને મારા બનેવી તરત દોડી આવ્યા. તેઓ સલામત એવા પાછળના રસ્તેથી મારા ઘરે આવ્યા અને પોતાનો પિકઅપ ટ્રક મારે ત્યાં મુકીને આડશ તરીકે તેનો ઉપયોગ કર્યો. ત્યાર પછી અમને સહુને બહાર કાઢ્યા, તેમ દેસાઈએ કહ્યું હતું. અમે સહુ ભારે વરસાદ વચ્ચે બહાર નિકળ્યા અને જેમતેમ કરીને તેમના પિકઅપ ટ્રક સુધી પહોંચ્યા હતા. તેમાં બેસીને અમે મારી બહેનના ઘરે પહોંચ્યા હતા.

હવે દેસાઈ પોતાની વીમા કંપની સાથે નુકસાનનું વળતર મેળવવા માટે કામગીરી કરી રહ્યાં છે, કારણ કે નુકસાન વધારે થયું છે. હોટેલનો એક ભાગ હજુકોઇ નુકસાન વગર ઉભુ છે.

મદદની તૈયારી

દેસાઈની પરિસ્થિતિની જાણ મિડ-સાઉથ રીજીયનના આહોઆના હરીકૃષ્ણ ‘એચકે’ પટેલને પણ થઇ હતી. પટેલે કહ્યું કે આહોઆના સભ્યો દેસાઈ સહિતના અન્ય અસરગ્રસ્તોની મદદ માટેની તૈયારી કરી રહ્યા છે.

‘હું પ્રયાસ કરી રહ્યો છું કે પાણી, પેપર પ્રોડક્ટ, ગેલન બાર્સ, ભોજન અને તેમને જરૂર પડે તેવી તમામ વસ્તુઓ અત્યારે અમે ટ્રકમાં ભરી રહ્યાં છીએ,’ તેમ પટેલે સોમવારે કહ્યું હતું. આજે લગભગ હું આખો ટ્રક રાહત સામગ્રીથી ભરી લઇશ.

આહોઆની ક્ષેત્રિય ટીમ ફર્સ્ટ એઇડ કીટસ. ધાબળા અને અન્ય અંગત વપરાશની વસ્તુઓઓ એકત્ર કરવાની સાથે ખરીદી પણ કરી રહ્યા છે. અગાઉ આહોઆ દ્વારા વેસ્ટર્ન કેન્ટુકી ટોર્નાડો રિલીફ ફન્ડ માટે TeamWKYReliefFund.ky.gov ખાતે મદદ પહોંચાડવા અપીલ કરી હતી.

આહોઆના જે સભ્યો મદદ કરવા ઇચ્છતા હોય તેઓ એચકે પટેલનો 937-524-6951 અથવા  hk.patel@aahoa.com ખાતે સંપર્ક કરી શકે છે.

તમને તોફાનથી અસર થઇ છે કે નુકસાન પહોંચ્યું છે કે મદદની જરૂર છે તે તમે જ્યાં સુધી નહીં જણાવો ત્યાં સુધી અમને જાણ નહીં થાય. અમે સહુ અસરગ્રસ્તોની સાથે છીએ, આહોઆ તેમની મદદ માટે તૈયાર છે.

More for you

Revival Hotels and Stayntouch cloud PMS partnership announcement 2025

Revival Hotels implements new PMS

How Revival Hotels Enhances Operations with Stayntouch’s Cloud PMS

HOTEL MANAGEMENT FIRM Revival Hotels is working with Stayntouch to provide its cloud-based property management systems to Revival’s independent portfolio. Revival is led by Founder and CEO Saxton Sharad.

Revival will receive automated software with flexibility and an interface its team can adopt to improve daily operations, the companies said in a joint statement.

Keep ReadingShow less
યુએસ-કેનેડા વેપાર તણાવની પ્રવાસન પર અસર

યુએસ-કેનેડા વેપાર તણાવની પ્રવાસન પર અસર

યુ.એસ. અને કેનેડા વચ્ચેના વેપાર તણાવની અસર યુ.એસ.ની મુસાફરી અને પ્રવાસન ઉદ્યોગ પર થવા લાગી છે, કારણ કે તેના લીધે કેનેડિયનોએ પ્રવાસમાં ઘટાડો કર્યો છે. સ્ટેટિસ્ટિક્સ કેનેડાના જણાવ્યા અનુસાર, યુ.એસ.માં ડ્રાઇવિંગ કરતા કેનેડિયનોની સંખ્યામાં એક વર્ષ અગાઉના ફેબ્રુઆરીમાં 23 ટકાનો ઘટાડો થયો હતો, જે બીજા સીધા માસિક ઘટાડો અને માર્ચ 2021 પછી માત્ર બીજો ઘટાડો દર્શાવે છે.

પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ફેબ્રુ. 1 ના રોજ લગભગ તમામ કેનેડિયન અને મેક્સીકન સામાન પર 25 ટકા ટેરિફ લાદતા એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કર્યા હતા, જે 4 માર્ચથી અમલમાં આવ્યા હતા. તેમણે કેનેડાને 51મું રાજ્ય બનાવવા માટે વારંવાર હાકલ કરી છે.

Keep ReadingShow less
AAHOA ના SNAC એ SBA લોન, કર સુધારણા અને શ્રમ સમસ્યાઓ આવરી લીધી

AAHOA ના SNAC એ SBA લોન, કર સુધારણા અને શ્રમ સમસ્યાઓ આવરી લીધી

AAHOA ની સ્પ્રિંગ નેશનલ એડવોકેસી કોન્ફરન્સે ગયા અઠવાડિયે તેના સભ્યો અને હોટેલ ઉદ્યોગ માટે મહત્વપૂર્ણ પણ પડતર રહેલાં કાયદાની હિમાયત કરી હતી. દ્વિવાર્ષિક પરિષદો દરેક વસંત અને પાનખરમાં હોટેલ માલિકોને એક પ્લેટફોર્મ પર લાવે છે અને કાયદા ઘડનારાઓ સાથે જોડાય છે અને ફેડરલ નીતિ ઘડતરમાં તેમની પ્રાથમિકતાઓ રાખે છે.

કોન્ફરન્સના વિષયોમાં જોઈએ તો LIONS એક્ટ દ્વારા સ્મોલ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન લોન મર્યાદામાં વધારો, કર સુધારણાને ટેકો આપવો, નાના વ્યવસાયોને ટેકો આપવા માટે ક્રેડિટ કાર્ડ કોમ્પીટીશન એક્ટની હિમાયત કરવી અને શ્રમિકોની અછતને સંબોધિત કરવાનો સમાવેશ થાય છે. SNAC 2025 એ હોટેલીયર્સને નવા ચૂંટાયેલા અધિકારીઓ સાથે જોડાવા માટે મંજૂરી આપી હતી, એમ AAHOAએ એક નિવેદનમાં જણાવ્યું હતું.

Keep ReadingShow less